પુરુષોત્તમ બોલ્યા પ્રીતે...(24th March 2018)

પ્રકરણ -૧૩  સેવા, સરળતા, દાસપણું
BAPS

કરિયાણામાં ઓઢા ખાચરના દરબારમાં શ્રીહરિ કહે, " સંત - હરિભકતોના દાસ થવાનો નિત્ય અભ્યાસ રાખવો. પોતાથી તેમને અધિક સમજવા અને સદા ગરજુ રહેવું. ક્યારેય તેમની સાથે બખેડો કરવો નહિ. જેટલો વિરોધી થઈને વર્તે તેટલો તેમાં ફરક સમજવો. વર્તન ઉપરથી જ જેટલો સત્સંગ થયો હોય તેટલો ઓળખવામાં આવે છે. અંતરમાં ફરક હોય તે ઉપરથી દેખાય નહિં . પણ સત્સંગ સૂર્ય જેવો છે, તે વર્તનમાં જ દેખાડી દે છે."
|| જય શ્રી સ્વામિનારાયણ ||